Skip to main content

નવું લોક ડાઉન ૩ મે સુધી રાખવાનું આ છે કારણ...!!!




Lockdown


માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનને ૩ મે, ૨૦૨૦ સુધી વધારવાનો નિર્ણય જાહેર કર્યો એ પહેલાં જ અન્ય ઘણા રાજ્યોએ ૩૦ એપ્રિલ, ૨૦૨૦ સુધીનું પોતાના રાજ્યમાં લોકડાઉન જાહેર કરી જ દીધું હતું.

 માટે લોકડાઉન વધશે તે અંગે લોકોને અંદાજ તો હતો જ અને વધ્યું પણ ખરું પણ ઘણા લોકો હેરાન છે કે આખરે વડાપ્રધાને ૧૯ દિવસનું લોકડાઉન કયા હિસાબે લાગુ કર્યું, કેમકે લોકડાઉન લંબાવવા પહેલા લોકોમાં ૩૦ એપ્રિલ સુધી લોકડાઉન રહેવાની શક્યતા વધી હતી. બધા વિચારમાં છે કે ૩ મે જ કેમ, ૩૦ એપ્રિલ કેમ નહીં...? કે પછી ૧ અથવા ૫ મે કેમ નહીં...?

આ પણ વાંચવા જેવું :
https://motivatediamondbridgegroup.blogspot.com/2020/02/blog-post.html

Lockdown


આવો સમજીએ ૩ મે વાળું ગણિત...


     રાજય સરકારોએ કેન્દ્ર સરકારને લોકડાઉનને ૩૦ એપ્રિલ સુધી વધારવાની અપીલ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે રજાને જોતા તેને ૩ મે સુધી વધારી દીધું છે.૧ મે શુક્રવારના દિવસે વિશ્વ મજુર દિવસની રજા છે. તે પછી ૨ મે શનિવાર અને ૩ મે રવિવાર એમ બે વીક એન્ડની રજા પડે છે.

આ પણ વાંચવા જેવું :
https://itsolutiondiamondbridgegroup.blogspot.com/2020/04/Coronaefdect.html Do

    ત્રણ દિવસની રજાના લીધે લોકો મોટી સંખ્યામાં ઘરમાંથી બહાર નીકળશે અને સોશિયલ ડિસ્ટેંસિંગને લઇ મુશ્કેલી આવશે. તેના લીધે લોકડાઉનને ૩ દિવસ વધારવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

Lockdown


જોકે બીજી રીતે લોકો એવું પણ કહે છે કે ત્રણ દિવસમાં એવું તો શું થવાનું હતું કે જે આ ૨૧ દિવસોમાં ન થયું...? ખરેખર કોરોનાના કેસમાં તેના લક્ષણ દેખાવાના ૭ થી ૧૪ દિવસ લાગી જાય છે. તેવામાં ૧૬ દિવસમાં ૩ દિવસ વધુ જોડાવાથી ૧૯ દિવસનો સમય મળી જાય છે, જેમાં કોરોના વાયરસનો વ્યાપ વધતો અટકાવી શકાય અને કોરોના સામેની લડત માટે વધુ સમય મળી રહે...

૩ મે પછી પણ લોકડાઉન વધશે કે નહીં..? એ વિશે આપના મંતવ્યો નીચે આપેલા કમેંટ બોક્સમાં જણાવશો... 

Comments

Post a Comment

For more details plz comment... 🙏

Popular posts from this blog

આરોગ્ય સેતુ (Arogya Setu) App. કઈ રીતે કામ કરે છે..?

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૪ એપ્રિલ, ૨૦૨૦ મંગળવારે સવારે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં દેશવાસીઓને 'આરોગ્ય સેતુ એપ' (Aarogya Setu App) ડાઉનલોડ કરવાનો આગ્રહ કર્યો છે, ત્યારબાદ ૨૪ કલાકના સમયગાળામાં જ ૫ કરોડ લોકોએ આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે.  👉 કેન્દ્ર સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આરોગ્ય મંત્રાલયના સહકાર સાથે તૈયાર કરેલું આ એપ ગૂગલ પ્લે સ્ટોર તથા એપલના એપ સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે...  👉 આરોગ્ય સેતુ એપ ૧૧ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. 👉 App ની બનાવટ એવી છે કે એ ગમે એટલું લોડ (load) હોય તો પણ ચાલી શકે છે  👉 આ એપ કોરોના વાયરસને નિયંત્રિત કરવા અને તેની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે બનાવવા આવી છે. 👉 આ એપને ઇન્સ્ટોલ કર્યા બાદ સેટ અપ કરવું એકદમ સરળ છે. લોકેશન(GPS)ને always on રાખવાનું છે અને બ્લુટુથ (Bluetooth) ને પણ ચાલુ રાખવાનું છે. 👉 રજીસ્ટ્રેશન પ્રોસેસ માટે તમને ફોન પર OTP મોકલવામાં આવશે, જેને ભરવાનો રહેશે. ત્યાર બાદ તમારે પોતાની પર્સનલ માહિતી નામ, ...
કોરોના તો જતો રહેશે, પણ કોરોના ભારતને ઘણું બધું આપી જશે...!!! આમ તો વિપદા માણસને ઘણું બધું શીખવાડી જતી હોય છે . વિશ્વ કોરોનાની આફતમાંથી શું શીખશે..? તેની ખબર નથી, પણ કોરાના ભારતીયોને ઘણી બાબતની શીખ આપી દેશે.આધુિનકતા તરફની દોટને કારણે આપણે આપણીપરંપરા ભૂલી પશ્ચિમના દેશોનું આંધળુ અનુકરણકરવા લાગ્યા હતા, પણ કોરાનાએ જાણે આપણને બ્રેક મારી પશ્ચિમ તરફ જતા અટકાવ્યા છે. કોરોના કયારે અટકશે અને કોરાનાને કારણે કેટલા લોકો પોતાનો જીવ ગુમાવશે તે કહેવું હાલમાં મુશ્કેલ છે ,પણ કોરાના ભારતમાંથી વિદાય લેશે ત્યારે કોરોના ભારતીયોને નવી દિશા અને જૂની જીવનપધ્ધિત આપી જશે. (1) આપણી જૂની પરંપરા હતી કે જ્યારે આપણે બહારથી ઘરે આવીએ ત્યારે બુટ ચંપલ બહાર ઉતારી ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં હાથ પગ ધોઈ ઘરમાં પ્રવેશ કરતા હતા, પણ હવે હાથ પગ ધોવાનું તો બાજુ ઉપર રહી ગયું, પણ અનેક ઘરોમાં બુટ ચંપલ પહેરી ફરવા લાગ્યા હતા,પણ કોરાનાએ આપણને અટકાવ્યા અને આપણને ફરજ પાડી છે કે તમારી જૂની પરંપરા પ્રમાણે બુટ ચંપલ બહાર ઉતારી હાથ પગ સારી રીતે ધોઈ ઘરમાં પ્રવેશ કરો. (2) વિશ્વ જયારે યોગ અને આયુર્વેદ ...

ડાયમંડ અને કાપડ ઉદ્યોગની હાલત કફોડી બનશે..!!!

વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવેલા મૂજરો .     સુરત શહેરના સરથાણા વિસ્તારમાં શુક્રવારે રાત્રે મોટી સંખ્યામાં લૂમ્સ (Loom Worker)માં કામ કરતા મજૂરો (Daily Wager) રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ લોકોએ પોલીસ પર પથ્થમારો (Stone Pelting on Police) કર્યો એટલું જ નહીં આ દરમિયાન આગજનીના બનાવો પણ બન્યા હતા. જે બાદ પોલીસે (Surat Police) કેટલાક લોકોની અટકાયત કરી લીધી હતી. સુરત શહેરમાં રોજીરોજી માટે અન્ય રાજ્યમાંથી આવતા હજારો મજૂરો રહે છે. લૉકડાઉન (Lockdown)ને કારણે આ તમામ લોકો બેરોજગાર બન્યા છે. એટલું જ નહીં શુક્રવારે ચાર હજાર જેટલા લોકો રસ્તા પર નીકળ્યા હતા, તેમની માંગણી તેમને તેમના વતન જવાની પરવાનગી આપવામાં આવે તેવી હતી. સુરતમાં હાલ હજારો પરપ્રાંતિયો ધંધા-ઉદ્યોગ ઠપ્પ થઈ જતાં આર્થિક ભીંસમાં મૂકાયા છે. હવે જ્યારે પણ લૉકડાઉન ખુલશે ત્યારે આ લોકો વતનની વાટ પકડશે. એટલે કે લૉકડાઉન ખુલ્યા બાદ પણ ધંધા અને ઉદ્યોગની હાલત વધારે કફોડી બનશે. હાલ પરપ્રાંતિયો પાસે વતન મોકલવા માટે પૈસા નથી તેમજ પોતાના જીવન નિર્વાહ માટે પણ પૈસા નથી. આથી આ લોકો હવે ઉગ્ર પ્રદર્શન સાથે રસ્તા પર ઉતરી રહ્...