Skip to main content



કોરોના તો જતો રહેશે, પણ કોરોના ભારતને ઘણું બધું આપી જશે...!!!
આમ તો વિપદા માણસને ઘણું બધું શીખવાડી જતી હોય છે . વિશ્વ કોરોનાની આફતમાંથી શું શીખશે..? તેની ખબર નથી, પણ કોરાના
ભારતીયોને ઘણી બાબતની શીખ આપી દેશે.આધુિનકતા તરફની દોટને કારણે આપણે આપણીપરંપરા ભૂલી પશ્ચિમના દેશોનું આંધળુ અનુકરણકરવા લાગ્યા હતા, પણ કોરાનાએ જાણે આપણને બ્રેક મારી પશ્ચિમ તરફ જતા અટકાવ્યા છે. કોરોના કયારે અટકશે અને કોરાનાને કારણે કેટલા લોકો પોતાનો જીવ ગુમાવશે તે કહેવું હાલમાં
મુશ્કેલ છે ,પણ કોરાના ભારતમાંથી વિદાય લેશે ત્યારે કોરોના ભારતીયોને નવી દિશા અને જૂની જીવનપધ્ધિત આપી જશે.

(1) આપણી જૂની પરંપરા હતી કે જ્યારે આપણે બહારથી ઘરે આવીએ ત્યારે બુટ ચંપલ બહાર ઉતારી ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં હાથ પગ ધોઈ ઘરમાં પ્રવેશ કરતા હતા, પણ હવે હાથ પગ ધોવાનું તો બાજુ ઉપર રહી ગયું, પણ અનેક ઘરોમાં બુટ ચંપલ પહેરી ફરવા લાગ્યા હતા,પણ કોરાનાએ આપણને અટકાવ્યા અને આપણને
ફરજ પાડી છે કે તમારી જૂની પરંપરા પ્રમાણે બુટ ચંપલ બહાર ઉતારી હાથ પગ સારી રીતે ધોઈ ઘરમાં પ્રવેશ કરો.

(2) વિશ્વ જયારે યોગ અને આયુર્વેદ તરફ વળી રહ્યું છે ત્યારે ભારતીયો લગભગ આ બન્ને બાબતને તીલાંજિલ આપવાની તૈયારી
કરી હતી,પણ કોરોનાએ સાબિત કરી આપ્યું કે એલોપથી લાચાર છે , ખરેખર કોરાના સામે લડી શકે અને કોરાના અને તેના જેવી આવનારી બીમારીઓ સામે આપણી દાદીના ઘરેલુ ઉપચાર અને આયુર્વેદ વધારે કારગર નિવડી રહ્યા છે.

(3) પશ્ચિમના દેશોનું અનુકરણ કરતાં આપણે ફાસ્ટ ફુડ અને વિવિધ પ્રકારના ઠંડા પીણાં પીવાની શરૂઆત કરી હતી, પણ કોરોનાની સારવાર કરનાર વિશ્વના ડૉકટરો હવે કોરોના સામેની લડાઈમાં ઘરનો ખોરાક અને ગરમ પાણી વધુ અસરકારક હોવાનું કહી રહ્યા છે.

(4) કોઈના મૃત્યુ બાદ આપણે મૃતકના ઘરે અથવા સ્મશાનમાં જઈ પોતાના ઘરે પાછા ફરતા ત્યારે આપણે ઘરમાં કોઈને પણ સ્પર્શ કર્યા વગર સ્નાન કરી લેતા હતા.આપણા વડીલો તેને સુતક કહેતા હતા,પણ આપણે સુતકના નામે ચાલતી આ પરંપરાને ફગાવી દીધી હતી,પણ કોરાનદ રિમયાન સાવચેતી અંગે આપણને મળેલી
ડૉકટરોની સલાહે સાબિત કરી આપ્યું કે મૃત્યુ પ્રસંગે ગયા બાદ સ્નાન કરવું કેટલું હિતાવહ છે.


Currentthaught

(5) અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા તે મુલાકાત પ્રસંગને આપણે ‘નમસ્તે ટ્રમ્પ’ નામ આપ્યું હતું.જો કે આપણે ખુદ નમસ્તે કરવાનું ભૂલી જ ગયા હતા,આપણે નમસ્તેની પરંપરા છોડી હાથ મીલાવવાની પરંપરા અપનાવી લીધી હતી, પણ કોરોનાએ આપણને કહ્યું કે મારાથી બચવું હોય તો નમસ્તે જ બચાવી શકશે.

(6) ઈશ્ચર અથવા અલ્લાહની બંદગી માટે ટોળા થઈ મંદિર અને મસ્જીદમાં જવાની જરૂર નથી કારણ પ્રાથૅના અને નમાઝ અત્યંત
વ્યક્તિગત બાબત છે અને તેને વ્યક્તિગત જ રહેવા દેવામાં બધાની સલામતી છે . જેઓ ભાન ભૂલ્યા તેમની કિંમત ચુકવવી પડે છે તે સાબિત થયું છે.

(7) પોતાના પ્રિયજનનું પણ એંઠુ ખાવું અથવા પીવું નહીં તેવી આપણી ધામિૅક માન્યતા હતી,પણ આધુિનકતાની દોટમાં આપણે તે માન્યતા ફગાવી દીધી, પણ સમયે સાબિત કરી આપ્યું કે કોઈને થયેલી બીમારીનો ચેપ બીજાને લાગે નહીં તેવો હેતુ એઠું ખાવા-પીવાની મનાઈ પાછળ હતો.


(8) માણસને જીવવા માટે બહુ ચીજો અથવા બહુ પૈસાની જરૂર નથી,ઓછામાં પણ ઉત્તમ જીવી શકાય છે .લોકડાઉને આપણને શીખવ્યું કે ખાવા પીવાના ખર્ચા સિવાય આપણને વધારે ખર્ચ થતો
જ નથી, રવિવારે તો બહાર જમવા જવું જ પડે તેવું અનેક લોકો માનતા હતા, પણ રેસ્ટોરન્ટમાંં ગયા વગર પણ સારી જિન્દગી જીવી શકાય છે તે આપણે જોયું છે.

(9) સમય નથી..!!! તેવું કારણ આપી આપણે રાત દિવસ દોડયા કરતા હતા,પણ લોકડાઉને શીખવ્યું કે આપણી પાસે પોતાના માટે સમય તો હોય છે , પણ આપણે એવા ભ્રમમાં જીવીએ છીએ કે હું દોડીશ નહીં તો બધું થંભી જશે,લોકડાઉનમાં આપણે ઘરમાં જ રહ્યા, છતાં દુનિયા તેની ગતિમાં ચાલતી રહી.

(10) ભારતમાં સ્વચ્છતાના મુદે જાગૃતિ ન્હોતી,પણ કોરાનોના કારણે જે જાગૃતિ આવી તે સરેરાશ ભારતીયનું આયુષ્ય દસ વર્ષ વધારી જાય તો નવાઈ નહી...

(11) હાલના સમયમાં જયાં ચાલતા જઈને કામ થતું હોય છે ત્યાં સ્કૂટર કે બાઇક લઇને જઇએ છીએ અને જ્યાં સ્કૂટર કે સાઇકલથી કામ પતતુ હોય ત્યાં મોટરકારનો ક્રેઝ વધ્યો છે.
જેનું પ્રમુખ કારણ દેખાદેખી અને પ્રદર્શન કરવાની વૃત્તિ છુપાયેલી છે.
અત્યારે લોકડાઉનના સમયમાં આપણને ખબર પડી કે ચાલતા જઈને કામ થતું હોય તો વાહન લઈને જવાની જરૂર નથી...

(12) આખો દિવસ ઘરમાં રહીને શું કરે છે...? એવો લગભગ દરેક ગૃહિણીને સવાલ કરવામાં આવતો હતો, પણ કોરોના વાયરસ ના લોકડાઉનના સમયમાં દરેક પતિને ખબર પડી કે ઘરે રહીને રસોઈ સિવાયના પણ બીજા ઘણા કામ હોય છે, જેમાં સમય આપવો પડે છે. 

Comments

Post a Comment

For more details plz comment... 🙏

Popular posts from this blog

આરોગ્ય સેતુ (Arogya Setu) App. કઈ રીતે કામ કરે છે..?

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૪ એપ્રિલ, ૨૦૨૦ મંગળવારે સવારે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં દેશવાસીઓને 'આરોગ્ય સેતુ એપ' (Aarogya Setu App) ડાઉનલોડ કરવાનો આગ્રહ કર્યો છે, ત્યારબાદ ૨૪ કલાકના સમયગાળામાં જ ૫ કરોડ લોકોએ આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે.  👉 કેન્દ્ર સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આરોગ્ય મંત્રાલયના સહકાર સાથે તૈયાર કરેલું આ એપ ગૂગલ પ્લે સ્ટોર તથા એપલના એપ સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે...  👉 આરોગ્ય સેતુ એપ ૧૧ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. 👉 App ની બનાવટ એવી છે કે એ ગમે એટલું લોડ (load) હોય તો પણ ચાલી શકે છે  👉 આ એપ કોરોના વાયરસને નિયંત્રિત કરવા અને તેની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે બનાવવા આવી છે. 👉 આ એપને ઇન્સ્ટોલ કર્યા બાદ સેટ અપ કરવું એકદમ સરળ છે. લોકેશન(GPS)ને always on રાખવાનું છે અને બ્લુટુથ (Bluetooth) ને પણ ચાલુ રાખવાનું છે. 👉 રજીસ્ટ્રેશન પ્રોસેસ માટે તમને ફોન પર OTP મોકલવામાં આવશે, જેને ભરવાનો રહેશે. ત્યાર બાદ તમારે પોતાની પર્સનલ માહિતી નામ, ...

बिना खाए, बिना पानी पिए जीते रहे 86 साल...Prahlad Jani...

गुजरात के पवित्र तीर्थ स्थल अंबाजी (Ambaji) में पिछले 86 वर्षों से बिना भोजन और पानी के जीवन व्यतीत कर रहे 'चुंदड़ी वाले माताजी' (Chundadiwale Mataji) प्रह्लाद जानी(Prahlad Jani) का 91 वर्ष की आयु में निधन हो गया है। उनका निधन उनके गृहनगर(वतन) गांव चरादा में हुआ है। उन्हें 28 मई, गुरुवार को अंबाजी में अंतिम दर्शन के लिए रखा जाएगा। पिछले 86 वर्षों से, चुंदड़ीवाले माताजी ने भोजन या पानी नहीं लिया था । उनके पार्थिव शरीर को दो दिनों के लिए अंबाजी में रखा जाएगा ताकि भक्तों को माताजी का अंतिम दर्शन हो सके। यह माताजी विज्ञान के लिए एक बड़ी पहेली की तरह थे । उन्हें कई दिनों तक परखा गया। परीक्षण का हिस्सा रहे न्यूरो फिजिशियन डॉ. सुधीर शाह का यह भी मानना ​​है कि माताजी का जीवन बहुत रहस्यमय था । उन्होंने अपने गृहनगर (वतन) गांव चरादा में 2.45 बजे अंतिम सांस ली। देर रात उन्हें सांस लेने में तकलीफ हुई। विशेष रूप से, चुंदड़ीवाले माताजी ने 86 वर्षों से भोजन और पानी छोड़ दिया था। चुंदड़ीवाले माताजी के निधन से उनके भक्तों में गहरा शोक व्याप्त हो गया है। यह विज्ञान के लिए भी एक बड़ा रहस्...

Identify Corona...

Please share in all your groups and if you feel knowledgeable, give your opinion in the comment box below .... * Identify Corona * * Question (01): - Can Corona virus be eradicated ..? Answer: - No! Corona viruses are inanimate particles that have a protective layer of fat on them. It is not a living thing, so it cannot be killed, but it decomposes on its own. Question (02): How long does it take for the corona virus to decompose? Answer: - Depending on how long the corona virus decomposes, 👉 How much heat or humidity is there around it? Or 👉 Where is it located, what is the condition of that place? Based on it. Question (03): -How can it be broken by particles? Answer: - Corona virus is very weak. Tearing down the protective layer of fat on top of it kills it. Soap or detergent foam is most effective for doing so. Hand massage with soap / detergent for 20 seconds or more breaks down its protective layer and destroys it. So ex...