Skip to main content

ટાઈમપાસ કઈ રીતે કરશો..?


 
  કોરોના વાઈરસના લીધે જે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે, તેના લીધે ક્યારેય ઘરમાં નવરા બેસવા ન ટેવાયેલા લોકો વધારે પરેશાન થઇ રહ્યા છે. સમય કાઢવો તો પણ ક્યાં? તેની મૂંઝવણ વચ્ચે તેમણે કેટલાક રમુજી ટાઇમપાસ નુસખા શોધી કાઢ્યા છે.


આ અજીબો ગરીબ ટાઇમપાસ હરકતો જાણીને તમને પણ ચોક્કસ હસવું આવી જશે...

👉 મિક્સરને અનિમક્સ કરી નાંખ્યું


મીક્સ ચેવડાને દેશી ભાષામાં 'મિક્સર' કહેવાય. જુદા જુદા ચવાણાને ભેગુ કરીને બનાવાયેલા આ મિકસ ચેવડાને લોકોએ નવરા નવરા ઘરમાં બેઠા અનિમક્સ કરી નાંખ્યું એટલેકે તેની દરેક સેવ, ગાંઠીયો, મમરો અલગ.

👉 તમારા ઘરનો પંખો કેટલી વારમાં સ્થિર થાય?

લો બોલો. સુતા સુતા પંખા પર નજર જાય તે વાત સ્વભાિવક છે. પરંતુ તેને બંધ થતા કેટલી વાર લાગે તેનો સમય ક્યારેય નોટ કર્યો છે ખરી..? એક સોશ્યલ મીડિયા યુઝરે તેની પણ નોંધ લીધી. તેમના મતે તેમના ઘરના પંખાને બંધ થતા 1 મીનીટ અને 22 સેકન્ડનો સમય લાગે છે.

👉 એક લીટરની બોટલમાં કેટલા ટીપા પાણી?



કેટલાક લોકો તો કંઇક વધારે પડતા જ નવરા પડી ગયા છે, આથી તેમને નાના-નાનાં ટાઇમપાસના નુસખા પોસાય તેમ નથી. આથી કલાકો ચાલો એવો એક પ્રયોગ તેમણે હાથ ધર્યો છે. એક લીટર પાણીની પ્લાસ્ટીકની બોટલમાં સોયથી નાનું કાણું પાડી એક એક ટીપું પાડવામાં આવે તો તેમના મતે કુલ 4892 ટીપા પડે.

👉 પાંચ રૂિપયામાં ચણાની દાળના કેટલાં દાણાં આવે?

ચણાની દાળનું પેકેટ તો ઘણીવાર ખરીદીને ખાધું હશે. પણ ક્યારેય તેના દાણાં ગણવાનો વિચાર આવ્યો ખરો, નહીં આવ્યો હોય તો જણાવી દઇએ કઈ કેટલાક લોકોએ આ મહાન કાર્ય પણ કરી બતાવ્યું છે . તેમના મતે આ પાંચ રૂપિયાની દાળના પેકેટ માં કુલ 439 દાણા આવે.

👉 બિસ્કિટના કાણા પણ ગણાય



લોકોએ ઘરે બેઠા બેઠા કઇ બિસ્કીટમાં કેટલા કાણાં આવે અને આખા પેકેટ માં કેટલા બિસ્કિટ તથા તે બઘા મળીને કેટલા કેટલા કાણાં થાય તેની પણ ગણતરી કરી નાંખી છે.

👉 તાશના પત્તામાં કુલ 284 સિમ્બોલ આવે 

તીન પત્તી તો બહું રમ્યા અને રમી રમીને કંટાળેલા લોકો હવે તેમાં કેટલા નાના મોટા સિમ્બોલ આવે તે ગણવા બેઠા. એટલેકે 45 પાનામાં ફુલ્લી, કાળી, લાલઅને ચરકટના કુલ 284 નાના મોટા નિશાન આવે.

👉 તાશના પત્તા માં નવીન શોધ...!


તાશના પત્તા તો આપણે નાનપણ થી રમતા આવ્યા છે. પણ દરેક પત્તાને ધ્યાનથી જોવાની નવરાશ અત્યારે મળી.... જેમકે 4 બાદશાહ માંથી એક બાદશાહને મૂછ જ નથી... 🤔

      👇આ સિવાયના પણ કેટલાક રમૂજી ટાઈમપાસ નુસખા હોય તો નીચે આપેલા કમેંટ બોક્સમાં જણાવશો અને શેર કરજો... 👇


Comments

Popular posts from this blog

આરોગ્ય સેતુ (Arogya Setu) App. કઈ રીતે કામ કરે છે..?

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૪ એપ્રિલ, ૨૦૨૦ મંગળવારે સવારે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં દેશવાસીઓને 'આરોગ્ય સેતુ એપ' (Aarogya Setu App) ડાઉનલોડ કરવાનો આગ્રહ કર્યો છે, ત્યારબાદ ૨૪ કલાકના સમયગાળામાં જ ૫ કરોડ લોકોએ આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે.  👉 કેન્દ્ર સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આરોગ્ય મંત્રાલયના સહકાર સાથે તૈયાર કરેલું આ એપ ગૂગલ પ્લે સ્ટોર તથા એપલના એપ સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે...  👉 આરોગ્ય સેતુ એપ ૧૧ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. 👉 App ની બનાવટ એવી છે કે એ ગમે એટલું લોડ (load) હોય તો પણ ચાલી શકે છે  👉 આ એપ કોરોના વાયરસને નિયંત્રિત કરવા અને તેની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે બનાવવા આવી છે. 👉 આ એપને ઇન્સ્ટોલ કર્યા બાદ સેટ અપ કરવું એકદમ સરળ છે. લોકેશન(GPS)ને always on રાખવાનું છે અને બ્લુટુથ (Bluetooth) ને પણ ચાલુ રાખવાનું છે. 👉 રજીસ્ટ્રેશન પ્રોસેસ માટે તમને ફોન પર OTP મોકલવામાં આવશે, જેને ભરવાનો રહેશે. ત્યાર બાદ તમારે પોતાની પર્સનલ માહિતી નામ, ...
કોરોના તો જતો રહેશે, પણ કોરોના ભારતને ઘણું બધું આપી જશે...!!! આમ તો વિપદા માણસને ઘણું બધું શીખવાડી જતી હોય છે . વિશ્વ કોરોનાની આફતમાંથી શું શીખશે..? તેની ખબર નથી, પણ કોરાના ભારતીયોને ઘણી બાબતની શીખ આપી દેશે.આધુિનકતા તરફની દોટને કારણે આપણે આપણીપરંપરા ભૂલી પશ્ચિમના દેશોનું આંધળુ અનુકરણકરવા લાગ્યા હતા, પણ કોરાનાએ જાણે આપણને બ્રેક મારી પશ્ચિમ તરફ જતા અટકાવ્યા છે. કોરોના કયારે અટકશે અને કોરાનાને કારણે કેટલા લોકો પોતાનો જીવ ગુમાવશે તે કહેવું હાલમાં મુશ્કેલ છે ,પણ કોરાના ભારતમાંથી વિદાય લેશે ત્યારે કોરોના ભારતીયોને નવી દિશા અને જૂની જીવનપધ્ધિત આપી જશે. (1) આપણી જૂની પરંપરા હતી કે જ્યારે આપણે બહારથી ઘરે આવીએ ત્યારે બુટ ચંપલ બહાર ઉતારી ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં હાથ પગ ધોઈ ઘરમાં પ્રવેશ કરતા હતા, પણ હવે હાથ પગ ધોવાનું તો બાજુ ઉપર રહી ગયું, પણ અનેક ઘરોમાં બુટ ચંપલ પહેરી ફરવા લાગ્યા હતા,પણ કોરાનાએ આપણને અટકાવ્યા અને આપણને ફરજ પાડી છે કે તમારી જૂની પરંપરા પ્રમાણે બુટ ચંપલ બહાર ઉતારી હાથ પગ સારી રીતે ધોઈ ઘરમાં પ્રવેશ કરો. (2) વિશ્વ જયારે યોગ અને આયુર્વેદ ...

ડાયમંડ અને કાપડ ઉદ્યોગની હાલત કફોડી બનશે..!!!

વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવેલા મૂજરો .     સુરત શહેરના સરથાણા વિસ્તારમાં શુક્રવારે રાત્રે મોટી સંખ્યામાં લૂમ્સ (Loom Worker)માં કામ કરતા મજૂરો (Daily Wager) રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ લોકોએ પોલીસ પર પથ્થમારો (Stone Pelting on Police) કર્યો એટલું જ નહીં આ દરમિયાન આગજનીના બનાવો પણ બન્યા હતા. જે બાદ પોલીસે (Surat Police) કેટલાક લોકોની અટકાયત કરી લીધી હતી. સુરત શહેરમાં રોજીરોજી માટે અન્ય રાજ્યમાંથી આવતા હજારો મજૂરો રહે છે. લૉકડાઉન (Lockdown)ને કારણે આ તમામ લોકો બેરોજગાર બન્યા છે. એટલું જ નહીં શુક્રવારે ચાર હજાર જેટલા લોકો રસ્તા પર નીકળ્યા હતા, તેમની માંગણી તેમને તેમના વતન જવાની પરવાનગી આપવામાં આવે તેવી હતી. સુરતમાં હાલ હજારો પરપ્રાંતિયો ધંધા-ઉદ્યોગ ઠપ્પ થઈ જતાં આર્થિક ભીંસમાં મૂકાયા છે. હવે જ્યારે પણ લૉકડાઉન ખુલશે ત્યારે આ લોકો વતનની વાટ પકડશે. એટલે કે લૉકડાઉન ખુલ્યા બાદ પણ ધંધા અને ઉદ્યોગની હાલત વધારે કફોડી બનશે. હાલ પરપ્રાંતિયો પાસે વતન મોકલવા માટે પૈસા નથી તેમજ પોતાના જીવન નિર્વાહ માટે પણ પૈસા નથી. આથી આ લોકો હવે ઉગ્ર પ્રદર્શન સાથે રસ્તા પર ઉતરી રહ્...