Skip to main content

વ્યસન સંતોષવા માટેના રસપ્રદ કિમીયા..!!!




કોરોનાવાઇરસને લઇને દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન છે તેમજ સરકાર અને પોલિસ દ્વારા આ લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે, ત્યારે અમુક જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુ માટે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. જોકે પાન, માવા, મસાલા, ગુટખા, સિગરેટ આવશ્યક ચીજવસ્તુ માં નહીં આવતાં હોવાથી એના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવા સમયે વ્યસની લોકો મોઢે માગ્યા રૂપિયા આપીને વ્યસન કરતા હોય છે. ત્યારે આવી તક વેપારી પણ ઝડપી લેતા હોય છે. 
કોરોના વાયરસનો ગુજરાતમાં હાલ કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં લોકડાઉનના ઘણા દિવસો થતાં વ્યસનીઓની ધીરજ ખૂટી રહી છે. લત લાગેલી હોય અને લોકડાઉનના કારણે પાન, માવા, મસાલા, ગુટખા કે સિગરેટ મળવી મુશ્કેલ થઈ છે. ત્યારે આવા સમયે કંઈ પણ કરી વ્યસનીઓ પોતાની લતને સંતોષવાના નવા નવા કિમીયા કરતા હોય છે.
 આ પણ વાંચવા જેવું 👇:
              https://currentthaught.blogspot.com/2020/04/blog-post_12.html
વ્યસનીઓ પોતાની જરૂર પુરી કરવા વેપારીઓને કહે છે અને વેપારી તમામ વસ્તુ તેમના સુધી પહોંચાડતા હોય છે, ત્યારે સરકાર દ્વારા આ સમયે આવશ્યક ચીજવસ્તુની જે છૂટછટો આપી છે , એનો કેટલાક લોકો દૂરુપયોગ કરતા પકડાયા છે, કેટલાક લોકો વ્યસનની વસ્તુની હેરા ફેરી કરતા મળી આવ્યા છે.

(૧)ગતરોજ તારીખ ૧૧ એપ્રિલ, ૨૦૨૦ નારોજ દૂધના કેનમાં સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાંથી ૧૩૫ ના માવા વેચવા નીકળેલા વ્યક્તિની પોલીસે ઝડપી પાડીને તેની ગાડીની તપાસ કરતા તેના દૂધના કેનમાંથી માવા મળી આવતા પોલીસે આ યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી.

એક વ્યક્તિ દૂઘનું કેન મોટર સાયકલ પર બાંધીને પસાર થઈ રહ્યો હતો. આ શખ્સે તેનું દૂધનું કેન વ્યવસ્થિત રીતે બાંધ્યુ નહોતું. તે વ્યક્તિએ માસ્ક પણ પહેર્યુ નહોતું તેથી શંકાના આધારે પોલીસે આ શખ્સને રોકીને દૂધના કેનની તલાશી લેતા પોલીસ પણ ચોકી ગઈ હતી. દૂધના કેનમાંથી મોટી સંખ્યામાં કાચી ૧૩૫ ના માવા મળી આવ્યા હતા.
(૨) આવો જ એક કેસ પાટડીમાં વણીન્દ્ર ધામની પાસે આવેલા કોમ્પ્લેકસમાં નકલી ડેપ્યુટી કલેકટર બનીને આવેલા શખ્સે નજીકની દુકાનમાંથી ૨૦૦ મસાલા, ૧૦૦ સિગારેટ તેમજ ૩ ગુટકાના પેકેટ પડાવી લીધા હતા. જે બાદ આ શખ્સે પાટડી પોલીસ મથકે દુકાનદારને દંડ ભરી જવાનું કહીને રૌફ જમાવ્યો હતો. આ અંગે ડેપ્યુટી કલેકટરની ઓફીસમાંથી સીએમ કાર્યાલયમાં ફોન કરીને જાણ કરાઇ હતી. જેમાં નકલી ડેપ્યુટી કલેકટર બનીને આવેલા શખ્સના મોબાઇલ નંબરના આધારે તપાસ કરાતા આ ફોન કોઇ અન્ય વ્યક્તિના નામનો હોવાનું સામે આવ્યુ હતું.
 આ પણ વાંચવા જેવુંં 👇:

https://currentthaught.blogspot.com/2020/04/blog-post.html

(૩) મોરબીમાં ટિકટોક (Tiktok) પર ડ્રોનમાં (Drone) કાચી ૧૩૫ ના માવા બાંધી અને આકાશમાં ઉડતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં જોત જોતામાં માવાના રસિયાઓએ આ વીડિયોને એટલો ફરતો કર્યો કે આ વીડિયો મોરબી એસપી સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ પોલીસે આ વિવાદિત વીડિયો ટિકટોક પર મુકનારા મોરબીમાં રહેતા જૂનાગઢના માણાવદરના બે યુવકોને ઝડપી અને તેની ધરપકડ કરી છે. 



પોલીસે બન્ને યુવાનો વિરુદ્ધ ગેરકાયદેસર ડ્રોન ઉડાડી અને તેમાં તમાકુ વાળા માવા (ફાકી) બાંધી અને વેચાણ કરવા લોકોને એકઠા કરવાનો જાહેરનામા ભંગની ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી સાથે જ આ વીડિયોમાં વપરાયેલા ૨૫ હજાર રૂપિયાના ડ્રોન અને તેના ઇન્સ્ટ્રુમેન્ટ પણ જપ્ત કર્યા હતા... 

 (૪) પાન, માવા, ગુટખાના બંધાણી આ સમયે કોઈ પણ કિંમત ચૂકવીને પણ વ્યસન કરવા તૈયાર થયા છે. હાલમાં સુરત પોલિસે પણ બે શખ્સોને ડુપ્લિકેટ તાનસેન,રજનીગંધા,વિમલ, માવાનો ટેમ્પો ભરીને ગેરકાયદેસર બમણી કિંમતે વેચાણ કરવા માટે ડિલીવરી કરવા જતા ઝડપી પાડયા છે...

(૫) અમદાવાદમાં એક મહિલા દુકાનદારે માવો આપવાની ના પાડતાં વ્યસની ગ્રાહકે ગુસ્સામાં આવી જઈને મહિલા દુકાનદાર ઉપર છરી વડે હુમલો કર્યો હતો 
આ પણ વાંચવા જેવું...👇

https://currentthaught.blogspot.com/2020/04/blog-post_10.html

(૬) કેટલાક લોકો એવા પણ છે, જે આપેલી છૂટછાટનો ગેરલાભ લઈને પોતાના બદઇરાદા પાર પાડતા હોય છે. ઇમરજન્સી હોય કે સાચું કારણ પોલીસને લાગે તો એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેના આધારે લોકો પોતાનું જરૂરી કામ પતાવવા નીકળી શકે છે.

અમદાવાદ પોલિસે એક્ટિવા પર Govt.Approved સેનિટાઇઝર સર્વિસનું બોર્ડ લગાવીને દારૂની ખેપ મારતા બે બુટલેગરને ઝડપી પાડયા હતા. શંકા જતા બંનેને સાઈડમાં લઈ જઈ તપાસ હાથ ધરતા એક્ટિવામાંથી દારૂની પોટલીઓ મળી આવી હતી.

આમ આવા હંગામી લોક ડાઉન ના સમયમાં પણ લોકો વ્યસનથી દૂર રહી શકતા નથી એ વાત પાક્કી છે... આ વિશે આપ સૌ વાચક મિત્રોનો અભિપ્રાય નીચે આપેલા કમેંટ બોક્સમાં જણાવશો એવી આશા રાખું છું... 🙏 

Comments

  1. Aaj sacho samay chhe vyasanmukti no aa samye lock down ni jagya par pani ni rell hot to vyasan wala loko su karat

    ReplyDelete
    Replies
    1. Right છે, વ્યસનમુક્તિ માટે આ સાચો સમય છે... પણ લોક ડાઉન ઉપર વ્યસન હાવી થઈ જાય છે... એ અઘરું છે...

      Delete

Post a Comment

For more details plz comment... 🙏

Popular posts from this blog

આરોગ્ય સેતુ (Arogya Setu) App. કઈ રીતે કામ કરે છે..?

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૪ એપ્રિલ, ૨૦૨૦ મંગળવારે સવારે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં દેશવાસીઓને 'આરોગ્ય સેતુ એપ' (Aarogya Setu App) ડાઉનલોડ કરવાનો આગ્રહ કર્યો છે, ત્યારબાદ ૨૪ કલાકના સમયગાળામાં જ ૫ કરોડ લોકોએ આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે.  👉 કેન્દ્ર સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આરોગ્ય મંત્રાલયના સહકાર સાથે તૈયાર કરેલું આ એપ ગૂગલ પ્લે સ્ટોર તથા એપલના એપ સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે...  👉 આરોગ્ય સેતુ એપ ૧૧ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. 👉 App ની બનાવટ એવી છે કે એ ગમે એટલું લોડ (load) હોય તો પણ ચાલી શકે છે  👉 આ એપ કોરોના વાયરસને નિયંત્રિત કરવા અને તેની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે બનાવવા આવી છે. 👉 આ એપને ઇન્સ્ટોલ કર્યા બાદ સેટ અપ કરવું એકદમ સરળ છે. લોકેશન(GPS)ને always on રાખવાનું છે અને બ્લુટુથ (Bluetooth) ને પણ ચાલુ રાખવાનું છે. 👉 રજીસ્ટ્રેશન પ્રોસેસ માટે તમને ફોન પર OTP મોકલવામાં આવશે, જેને ભરવાનો રહેશે. ત્યાર બાદ તમારે પોતાની પર્સનલ માહિતી નામ, ...

बिना खाए, बिना पानी पिए जीते रहे 86 साल...Prahlad Jani...

गुजरात के पवित्र तीर्थ स्थल अंबाजी (Ambaji) में पिछले 86 वर्षों से बिना भोजन और पानी के जीवन व्यतीत कर रहे 'चुंदड़ी वाले माताजी' (Chundadiwale Mataji) प्रह्लाद जानी(Prahlad Jani) का 91 वर्ष की आयु में निधन हो गया है। उनका निधन उनके गृहनगर(वतन) गांव चरादा में हुआ है। उन्हें 28 मई, गुरुवार को अंबाजी में अंतिम दर्शन के लिए रखा जाएगा। पिछले 86 वर्षों से, चुंदड़ीवाले माताजी ने भोजन या पानी नहीं लिया था । उनके पार्थिव शरीर को दो दिनों के लिए अंबाजी में रखा जाएगा ताकि भक्तों को माताजी का अंतिम दर्शन हो सके। यह माताजी विज्ञान के लिए एक बड़ी पहेली की तरह थे । उन्हें कई दिनों तक परखा गया। परीक्षण का हिस्सा रहे न्यूरो फिजिशियन डॉ. सुधीर शाह का यह भी मानना ​​है कि माताजी का जीवन बहुत रहस्यमय था । उन्होंने अपने गृहनगर (वतन) गांव चरादा में 2.45 बजे अंतिम सांस ली। देर रात उन्हें सांस लेने में तकलीफ हुई। विशेष रूप से, चुंदड़ीवाले माताजी ने 86 वर्षों से भोजन और पानी छोड़ दिया था। चुंदड़ीवाले माताजी के निधन से उनके भक्तों में गहरा शोक व्याप्त हो गया है। यह विज्ञान के लिए भी एक बड़ा रहस्...

Identify Corona...

Please share in all your groups and if you feel knowledgeable, give your opinion in the comment box below .... * Identify Corona * * Question (01): - Can Corona virus be eradicated ..? Answer: - No! Corona viruses are inanimate particles that have a protective layer of fat on them. It is not a living thing, so it cannot be killed, but it decomposes on its own. Question (02): How long does it take for the corona virus to decompose? Answer: - Depending on how long the corona virus decomposes, 👉 How much heat or humidity is there around it? Or 👉 Where is it located, what is the condition of that place? Based on it. Question (03): -How can it be broken by particles? Answer: - Corona virus is very weak. Tearing down the protective layer of fat on top of it kills it. Soap or detergent foam is most effective for doing so. Hand massage with soap / detergent for 20 seconds or more breaks down its protective layer and destroys it. So ex...