Skip to main content

કોરોના વાયરસ ને ઓળખો....



કૃપા કરીને તમારા બધા ગ્રુપમાં શેર કરો અને જ્ઞાનવધૅક લાગે તો નીચે આપેલા કમેંટ બોક્સમાં પોતાનો અભિપ્રાય આપો.... 

* કોરોનાને ઓળખો *

* પ્રશ્ન (૧): - શું કોરોના વાયરસને નાબૂદ કરી શકાય છે..? 

જવાબ: -

ના ! કોરોના વાયરસ એ નિર્જીવ કણો છે, જેના પર ચરબીનું સુરક્ષા કવચ (રક્ષણાત્મક પડ) ચઢેલું હોય છે. તે જીવંત વસ્તુ નથી, તેથી તેને મારી શકાતા નથી, પણ એ પોતાની જાતે જ કણ કણ થઈને ખતમ થઈ જાય છે (એનું વિઘટન પામે છે) 

પ્રશ્ન (૦૨): -કોરોના વાયરસનું વિઘટન થવા માટે કેટલો સમય લાગે છે ? 

જવાબ: -

કોરોના વાયરસ કેટલા સમયમાં વિઘટન પામે છે,એનો આધાર, 

👉તેની આજુબાજુ કેટલી ગરમી અથવા ભેજ છે? અથવા 

👉તે કયા સ્થાન પર છે, તે સ્થાનની પરિસ્થિતિ કેવી છે? એના પર આધારિત છે.


આ પણ વાંચવા જેવું :

https://currentthaught.blogspot.com/2020/04/arogya-setu-app.html


પ્રશ્ન (૦૩): -તેને કણ કણ કરીને કેવી રીતે તોડી શકાય છે ? 

જવાબ: - 

કોરોના વાયરસ ખૂબ નબળો છે. તેના ઉપર ચરબીનો રક્ષણાત્મક સ્તર ફાડી નાખવાથી તે મરી જાય છે. સાબુ અથવા ડીટરજન્ટનું ફીણ એમ કરવા માટે સૌથી અસરકારક છે. 20 સેકંડ કે તેથી વધુ સમય માટે સાબુ / ડીટરજન્ટ લગાવીને હાથ માલિશ કરવાથી તેનો રક્ષણાત્મક સ્તર તૂટી જાય છે અને તેનો નાશ થાય છે. તેથી તમારા શરીરના ખુલ્લા ભાગોને સાબુ અને પાણીથી વારંવાર ધોવા જોઈએ, ખાસ કરીને તે સમયે, જ્યારે તમે બહારથી ઘરે આવો છો.

પ્રશ્ન (૦૪): ગરમ પાણીનો ઉપયોગ કરીને તે સમાપ્ત કરી શકાય છે? 

જવાબ: - 

હા! ગરમી ઝડપથી ચરબી ઓગળે છે. આ માટે, શરીરના ભાગો અને કપડા ઓછામાં ઓછા 25 ડિગ્રી ગરમ (નવશેકું કરતાં થોડું ગરમ ) પાણીથી ધોવા જોઈએ. છીંક આવે કે ઉધરસ આવે ત્યારે વપરાયેલ રૂમાલને 25 ડિગ્રી અથવા તેથી વધુ ગરમ પાણીથી ધોવા જોઈએ. માંસ, ચિકન અથવા શાકભાજીને પણ રાંધવા પહેલાં 25 ડિગ્રી સુધીના ગરમ પાણીથી ધોવા જોઈએ.

પ્રશ્ન (૦૫): આલ્કોહોલ (સેનિટાઇઝર) દ્વારા કોરોના વાયરસનું રક્ષણાત્મક સ્તર તોડી શકાય છે? 

જવાબ: - 

હા! પરંતુ તે સેનિટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ 65% કરતા વધારે હોવું જોઈએ, તોજ તેના પરના રક્ષણાત્મક સ્તરને ઓગાળી શકે છે, નહીં તો નહીં... 



પ્રશ્ન (૦૬): બ્લીચિંગ કેમિકલયુક્ત પાણીથી પણ તેના રક્ષણાત્મક સ્તરને તોડી શકાય છે? 

જવાબ: - 

હા! પરંતુ આ માટે પાણીમાં બ્લીચનું પ્રમાણ 20% હોવું જોઈએ. બ્લીચમાં હાજર કલોરિન અને અન્ય કેમિકલ કોરોના વાયરસના સંરક્ષણના સ્તરને તોડી નાખે છે. જ્યાં જ્યાં આપણા હાથ અડ્યા હોય એ દરેક સપાટી પર આ બ્લીચિંગ પાણીનો છંટકાવ કરવો જોઇએ. ટીવીનું રિમોટ, લેપટોપ અને મોબાઈલ ફોનને પણ બ્લીચિંગ પાણીમાં પલાળીને નીચવેલા કપડાથી સાફ કરવું જોઈએ.

પ્રશ્ન (૦૭): જીવાણુંનાશક દવાઓ દ્વારા કોરોના વાયરસને નાબૂદ કરી શકાય છે? 

જવાબ: -

ના! જીવાણુંઓ સજીવ હોય છે, તેથી તેઓને એન્ટિબાયોટિક એટલેકે જીવાણુનાશક દવાઓ દ્વારા નાબૂદ કરી શકાય છે, પરંતુ વાયરસ નિર્જીવ કણો હોય છે, માટે એના પર એન્ટિબાયોટિક્સની કોઈ અસર થતી નથી. એટલેકે એન્ટીબાયોટીક્સથી કોરોના વાયરસને દૂર કરી શકાતો નથી.

આ પણ વાંચવા જેવું :

https://motivatediamondbridgegroup.blogspot.com/2020/04/Corona.html

પ્રશ્ન (૦૮): કયા સ્થાને કોરોના વાયરસ કેટલો સમય રહે છે?

જવાબ: -

* કપડાં પર: * ત્રણ કલાક સુધી

* તાંબા પર: * ચાર કલાક સુધી

* કાર્ડબોર્ડ પર : * ચોવીસ કલાક સુધી

* અન્ય ધાતુઓ પર: * ૪૨ કલાક સુધી

* પ્લાસ્ટિક પર: * ૭૨ કલાક સુધી

આ સમયગાળા પછી, કોરોના વાયરસ પોતાની જાતે જ વિઘટન પામે છે. પરંતુ આ સમય દરમિયાન, જો કોઈ વ્યક્તિ આ ચેપગ્રસ્ત વસ્તુઓને સ્પર્શ કરે છે અને હાથને યોગ્ય રીતે ધોયા વિના તેના નાક, આંખો અથવા મોંને સ્પર્શે છે, તો વાયરસ શરીરમાં પ્રવેશ કરશે અને સક્રિય થઈ જશે.



પ્રશ્ન (૦૯): - કોરોના વાયરસ હવામાં હાજર હોઈ શકે છે? જો હા, તો તે વિઘટન કર્યા વિના કેટલો સમય રહી શકે છે?

જવાબ: -

જે વસ્તુઓનો પ્રશ્ન (૦૮) ના જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એને હવામાં હલવવાથી, ખંખેરવાથી કે ઝાટકવાથી અથવા કોરોના positive દર્દીના છીંક ખાવાથી કોરોના વાયરસ હવામાં ફેલાય છે, કોરોના વાયરસ ત્રણ કલાક હવામાં રહી શકે છે, જેના પછી તે પોતાનું વિઘટન પામે છે.

પ્રશ્ન (૧૦): - કોરોના વાયરસ માટે કયા પ્રકારનું વાતાવરણ ફાયદાકારક છે અને કયા પ્રકારનાં વાતાવરણમાં તે ઝડપથી વિખેરાઇ જાય છે?

જવાબ: -

કોરોના વાયરસ કુદરતી ઠંડા વાતાવરણમાં અથવા એરકંડિશનની ઠંડીમાં વધુ અસરકારક રહે છે. તે જ રીતે, અંધારી અને ભેજવાળી જગ્યાએ પણ લાંબો સમય રહી શકે છે. એટલે કે, આ સ્થાનો પર તેનું ઝડપથી વિઘટન થતું નથી. સુકા, ગરમ અને અજવાળા વાતાવરણમાં કોરોના વાયરસ ઝડપથી નાશ પામે છે.તેથી જ્યાં સુધી કોરોના મહામારી છે, ત્યાં સુધી એસી અથવા એર કૂલરનો ઉપયોગ કરશો નહીં.

પ્રશ્ન (૧૧): - કોરોના વાયરસ પર તીવ્ર સૂર્યપ્રકાશની શું અસર થાય છે? 

જવાબ: -

સૂર્યપ્રકાશમાં હાજર અલ્ટ્રાવાયોલેટ કિરણો ઝડપથી કોરોના વાયરસને વિઘટિત કરે છે, કારણ કે તેનો રક્ષણાત્મક સ્તર મજબૂત સૂર્યપ્રકાશમાં પીગળી જાય છે. તેથી જ ચહેરા પર લગાવેલ ફેસમાસ્ક અથવા રૂમાલનો ઉપયોગ સારી રીતે ડીટરજન્ટથી ધોવા અને મજબૂત સૂર્યપ્રકાશ હેઠળ સૂકવ્યા પછી ફરીથી થઈ શકે છે.

પ્રશ્ન (૧૨): - કોરોના વાયરસ આપણા ત્વચામાંથી શરીરમાં પ્રવેશ કરી શકે છે?

જવાબ: - 

ના! સ્વસ્થ ત્વચામાંથી કોરોના વાયરસ પ્રવેશી શકતો નથી. જો ત્વચા પર કટ અથવા ઘા હોય તો ચેપ લાગવાની સંભાવના છે.

પ્રશ્ન (૧૩): - સરકો મિશ્રિત પાણીથી કોરોના વાયરસનો નાશ થઈ શકે છે? 

જવાબ: -

ના! સરકો કોરોના વાયરસના રક્ષણાત્મક સ્તરને તોડી શકતો નથી. તેથી, સરકાના પાણીથી હાથ અને મોં ધોવાનો કોઈ ફાયદો નથી.

નોંધ - કાપડ, દરવાજા, ઘંટડી બટન, જૂતા, ચપ્પલ , થેલી, ગાડી, ચાવી, કાચ, શાકભાજી, ફળ, રૂપિયા વગેરેના સંપર્કમાં આવ્યા પછી આંખો, કાન, નાક, મોં અને ગુપ્ત અંગોને સ્પર્શશો નહીં. .

ખાતરી કરો કે ગરમ મીઠાના પાણીથી કોગળા કરો, ચા અથવા કોફી અથવા ગરમ પાણી પીશો, કોરોના વાયરસ શરીરમાં પ્રવેશ્યા પછી પણ શ્વસન તંત્ર સુધી પહોંચી શકશે નહીં અને તમે સુરક્ષિત રહેશો.

આભાર 
ડો.એસ.કે.મહેતા
9872501640
દ્વારા પોસ્ટ કરાયેલ
વોશિંગ્ટન યુનિવર્સિટી
યુએસએ



આ બ્લોગ ડૉ. એસ. કે. મહેતા, વોશિંગ્ટન યૂનિવર્સિટી, યુ. એસ. એ., દ્વારા જારી કરવામાં આવેલ અંગ્રેજી પરિપત્રનું આપ સૌ ગુજરાતી વાચકમિત્રો માટે અનુવાદ કરવામાં આવ્યું છે.....

Comments

Popular posts from this blog

આરોગ્ય સેતુ (Arogya Setu) App. કઈ રીતે કામ કરે છે..?

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૪ એપ્રિલ, ૨૦૨૦ મંગળવારે સવારે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં દેશવાસીઓને 'આરોગ્ય સેતુ એપ' (Aarogya Setu App) ડાઉનલોડ કરવાનો આગ્રહ કર્યો છે, ત્યારબાદ ૨૪ કલાકના સમયગાળામાં જ ૫ કરોડ લોકોએ આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે.  👉 કેન્દ્ર સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આરોગ્ય મંત્રાલયના સહકાર સાથે તૈયાર કરેલું આ એપ ગૂગલ પ્લે સ્ટોર તથા એપલના એપ સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે...  👉 આરોગ્ય સેતુ એપ ૧૧ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. 👉 App ની બનાવટ એવી છે કે એ ગમે એટલું લોડ (load) હોય તો પણ ચાલી શકે છે  👉 આ એપ કોરોના વાયરસને નિયંત્રિત કરવા અને તેની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે બનાવવા આવી છે. 👉 આ એપને ઇન્સ્ટોલ કર્યા બાદ સેટ અપ કરવું એકદમ સરળ છે. લોકેશન(GPS)ને always on રાખવાનું છે અને બ્લુટુથ (Bluetooth) ને પણ ચાલુ રાખવાનું છે. 👉 રજીસ્ટ્રેશન પ્રોસેસ માટે તમને ફોન પર OTP મોકલવામાં આવશે, જેને ભરવાનો રહેશે. ત્યાર બાદ તમારે પોતાની પર્સનલ માહિતી નામ, ...
કોરોના તો જતો રહેશે, પણ કોરોના ભારતને ઘણું બધું આપી જશે...!!! આમ તો વિપદા માણસને ઘણું બધું શીખવાડી જતી હોય છે . વિશ્વ કોરોનાની આફતમાંથી શું શીખશે..? તેની ખબર નથી, પણ કોરાના ભારતીયોને ઘણી બાબતની શીખ આપી દેશે.આધુિનકતા તરફની દોટને કારણે આપણે આપણીપરંપરા ભૂલી પશ્ચિમના દેશોનું આંધળુ અનુકરણકરવા લાગ્યા હતા, પણ કોરાનાએ જાણે આપણને બ્રેક મારી પશ્ચિમ તરફ જતા અટકાવ્યા છે. કોરોના કયારે અટકશે અને કોરાનાને કારણે કેટલા લોકો પોતાનો જીવ ગુમાવશે તે કહેવું હાલમાં મુશ્કેલ છે ,પણ કોરાના ભારતમાંથી વિદાય લેશે ત્યારે કોરોના ભારતીયોને નવી દિશા અને જૂની જીવનપધ્ધિત આપી જશે. (1) આપણી જૂની પરંપરા હતી કે જ્યારે આપણે બહારથી ઘરે આવીએ ત્યારે બુટ ચંપલ બહાર ઉતારી ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં હાથ પગ ધોઈ ઘરમાં પ્રવેશ કરતા હતા, પણ હવે હાથ પગ ધોવાનું તો બાજુ ઉપર રહી ગયું, પણ અનેક ઘરોમાં બુટ ચંપલ પહેરી ફરવા લાગ્યા હતા,પણ કોરાનાએ આપણને અટકાવ્યા અને આપણને ફરજ પાડી છે કે તમારી જૂની પરંપરા પ્રમાણે બુટ ચંપલ બહાર ઉતારી હાથ પગ સારી રીતે ધોઈ ઘરમાં પ્રવેશ કરો. (2) વિશ્વ જયારે યોગ અને આયુર્વેદ ...

ડાયમંડ અને કાપડ ઉદ્યોગની હાલત કફોડી બનશે..!!!

વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવેલા મૂજરો .     સુરત શહેરના સરથાણા વિસ્તારમાં શુક્રવારે રાત્રે મોટી સંખ્યામાં લૂમ્સ (Loom Worker)માં કામ કરતા મજૂરો (Daily Wager) રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ લોકોએ પોલીસ પર પથ્થમારો (Stone Pelting on Police) કર્યો એટલું જ નહીં આ દરમિયાન આગજનીના બનાવો પણ બન્યા હતા. જે બાદ પોલીસે (Surat Police) કેટલાક લોકોની અટકાયત કરી લીધી હતી. સુરત શહેરમાં રોજીરોજી માટે અન્ય રાજ્યમાંથી આવતા હજારો મજૂરો રહે છે. લૉકડાઉન (Lockdown)ને કારણે આ તમામ લોકો બેરોજગાર બન્યા છે. એટલું જ નહીં શુક્રવારે ચાર હજાર જેટલા લોકો રસ્તા પર નીકળ્યા હતા, તેમની માંગણી તેમને તેમના વતન જવાની પરવાનગી આપવામાં આવે તેવી હતી. સુરતમાં હાલ હજારો પરપ્રાંતિયો ધંધા-ઉદ્યોગ ઠપ્પ થઈ જતાં આર્થિક ભીંસમાં મૂકાયા છે. હવે જ્યારે પણ લૉકડાઉન ખુલશે ત્યારે આ લોકો વતનની વાટ પકડશે. એટલે કે લૉકડાઉન ખુલ્યા બાદ પણ ધંધા અને ઉદ્યોગની હાલત વધારે કફોડી બનશે. હાલ પરપ્રાંતિયો પાસે વતન મોકલવા માટે પૈસા નથી તેમજ પોતાના જીવન નિર્વાહ માટે પણ પૈસા નથી. આથી આ લોકો હવે ઉગ્ર પ્રદર્શન સાથે રસ્તા પર ઉતરી રહ્...